મોદી સરકારના આ નિર્ણય સામે વેપારીઓ લાલઘુમ, કાપડના વેપારીઓ લડી લેવાના મુડમાં

કાપડ માર્કેટનાં વેપારીઓએ આજે બંધ પાળ્યું છે. જે કાપડમાં 5 ટકા GST વધારીને 12 ટકા GST કરવા અંગે વેપારીઓ વિરોધ કરી રહ્યા છે. હોલસેલ, ગારમેન્ટ, રેડીમેઈડ બજારો બંધમાં જોડાયા છે. ગઈ કાલે કેન્ડલ માર્ચ યોજીને માર્કેટના વેપારીયોએ વિરોધ કર્યો હતો. આજે એક દિવસ બંધ પાળીને વેપારીઓ વિરોધ કરી રહ્યા છે. હાલમાં કાપડમાં GSTનો દર 5 ટકા છે. જે વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 1 જાન્યુઆરી થી કપડા પર જીએસટી 12 ટકાનો નિર્ણય લેવાયો છે. ત્યારે હવે કપડાં પર જીએસટી 5 ટકા થી વધારીને 12 ટકા થશે. કેન્દ્ર ના નિર્ણયનો ટેક્સટાઇલ વેપારીઓ વિરોધ કરી રહ્યા છે.
જે કપડા પર જીએસટી ને લઈને વેપારીઓ દેખાવો કરી રહ્યા છે. જો આ નિર્ણય પરત નહીં ખેંચાય તો ટેક્સટાઇલ વેપાર પડી ભાંગશે જેવું વેપારીઓ દ્વારા જણવવામાં આવી રહ્યું છે. ગ્રાહકો સુધી પહોંચતા કાપડ 20 ટકા મોંઘું થશે. નોટબંધી, જીએસટી અને લોકડાઉન ના કારણે વેપાર પ્રભાવિત થયો હતો. 12 જીએસટી થી ઇન્સ્પેકટર રાજ પરત આવશે. હજીપણ વિશ્વાસ છે કે સરકાર 12 જીએસટી નો નિર્ણય પરત ખેંચશે. જીએસટીમાં ફેરફારના કારણે એન્ડ પ્રોડક્ટનો ઉપયોગ કરનાર લોકો અને વેપારીઓને નુકસાની થઇ રહી છે. GST દર 12% થી ફરી 5% કરવા માંગ કરવામાં આવી છે.
ટેક્ષટાઈલ્સ પર જીએસટી 5 ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવી છે. જે 1 જાન્યુઆરી 2022 થી જીએસટીના નવા દર અમલમાં આવશે. જો કે નાના વેપારીઓ માટે 12 ટકા જીએસટી અસહ્ય હોવાનું જાણવવામાં આવી રહ્યું છે. ટેક્સટાઈલ માર્કેટના સૂત્રોનું કહેવું છે કે ભારતમાં 85 ટકાથી વધુ પ્રજા 1000 રૂપિયાથી ઓછી કિંમતના વસ્ત્રો પહેરે છે. ઇન્વર્ટેડ ડયૂટી સ્ટ્રક્ચરને પરિણામે સરકારની તિજોરીઓમાં વેપારીના પડી રહેતી ટેક્સ ક્રેડિટના પૈસા પાછા ન આપવા પડે તે માટે સરકાર આ ટેક્સ વધારવા માગે છે.
નોંધનીય છે કે, કોરોના મહામારીને કારણે વેપાર-ઉદ્યોગો પર મોટી અસર પડી છે. સુરત શહેર પણ આ મંદીમાંથી બાકાત રહ્યું નથી. વિશ્વભરમાં ટેકસટાઇલ સિટી તરીકે જાણીતા સુરતના ટેકસટાઇલ ઉદ્યોગને હજારો કરોડનું નુકશાન થયું છે.