કપિલ શર્માના શોમાં ફરી આવશે કૃષ્ણા અભિષેક, કપિલ શર્મા સાથેના ઝઘડા પર કહી આ વાત…..

સોની ટીવી પર પ્રસારિત થનાર ધ કપિલ શર્મા શો વર્ષ 2016 માં શરૂ થયો હતો અને ત્યારથી પ્રખ્યાત કોમેડિયન અને અભિનેતા કૃષ્ણા અભિષેક આ શોનો એક ભાગ હતો. તે શોમાં ઘણા પાત્રોથી લોકોને હસાવતો હતો. તેની મિમિક્રી પણ અદ્ભુત હતી. જોકે, તેને સૌથી વધુ લોકપ્રિયતા સપનાના રોલમાં મળી હતી. વેલ, કૃષ્ણા અભિષેક શોની આગામી સીઝનમાં જોવા મળશે નહીં. તેણે શો છોડી દીધો છે. લોકોને લાગ્યું કે કૃષ્ણાની કપિલ સાથે ઝઘડો છે, તેથી જ કૃષ્ણાએ શો છોડી દીધો, પરંતુ એવું નથી.
કૃષ્ણા અભિષેકે હાલમાં જ આ સમાચારોનું ખંડન કર્યું છે, જેમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે કપિલ અને કૃષ્ણા અભિષેક વચ્ચે ઝઘડો થયો છે, તેથી તેના શો છોડવાનું આ પણ એક કારણ છે. તાજેતરમાં, કેમેરામેન સાથેની વાતચીતમાં, કૃષ્ણાએ આ અહેવાલોને ખોટા ગણાવવા હતા અને જણાવ્યું હતું કે, “હું અને કપિલ સાથે ઓસ્ટ્રેલિયા જઈ રહ્યા છીએ. અમારી વચ્ચે કોઈ સમસ્યા નથી. હું તેને અને તે મને પ્રેમ કરે છું. એ મારો શો પણ છે, હું ફરી આવીશ.”
5 વર્ષથી ‘ધ કપિલ શર્મા શો’થી દર્શકોને હસાવનાર કૃષ્ણા અભિષેકે કોન્ટ્રાક્ટના મુદ્દાને કારણે શો છોડી દીધો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે પોતાના કોન્ટ્રાક્ટથી ખુશ નહોતો, ઉપરાંત તેને ફીની સમસ્યા હતી. તમામ પ્રયાસો પછી પણ મેકર્સ અને ક્રિષ્ના વચ્ચે આ વાતને લઈને કોઈ વાત થઈ ન હતી. તે કારણોસર કૃષ્ણાએ શો છોડી દીધો હતો.
સોની ટીવીએ 1 સપ્ટેમ્બર, 2022ના રોજ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, આ શો 10 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. આ વખતે શોમાં નવા ચહેરા જોવા મળશે. કાસ્ટ લિસ્ટમાં કપિલ શર્મા ઉપરાંત કીકુ શારદા, સિદ્ધાર્થ સાગર, ગૌરવ દુબે, સુમોના ચક્રવર્તી, ચંદન પ્રભાકર જેવા કોમેડિયનનો સમાવેશ થાય છે.