મોડે મોડે પણ જાગી ખરી… અમદાવાદમાં બ્રિજ તૂટી પડવા બાબતે કરાઈ તપાસ સમિતિની રચના

અમદાવાદમાં બ્રિજ તૂટી પડવા બાબતે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ આ મામલે ઉચ્ચ કક્ષાની સમિતિની તપાસ સોંપી છે. શહેરી વિકાસ વિભાગના સચિવ લોચન શહેરની અધક્ષતામાં અન્ય 4 સભ્યની સમિતિ બનાવવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં સરદાર પટેલ રીંગ રોડ ઉપર મેમદપૂરા રોડ ક્રોસીંગ પરના બ્રિજના બોપલ સનાથલ તરફ જતા એક બોક્ષ ગર્ડરના અચાનક તૂટી પડવા અંગેની દુર્ઘટનાની ગંભીરતા ધ્યાને લઇ ઘટનાની તપાસ માટે ઉચ્ચ કક્ષાની તપાસ સમિતીની રચનાની જાહેરાત કરી છે.
.
શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ સચિવ લોચન સહેરાની અધ્યક્ષતામાં આ તપાસ સમિતીમાં અન્ય ૪ સભ્યોની પણ સેવાઓ જરૂરીયાત મુજબ લઇ શકાશે. આ તપાસ સમિતી દુર્ઘટના થવાના કારણો, નુકસાની ની વિગતો તથા નિર્માણ કાર્યને લગતી કામગીરીની ક્ષતિ-બેદરકારીની તપાસ કરશે. એટલું જ નહિ, ભવિષ્યમાં આવા બનાવો ના બને તે માટેના સુધારાત્મક પગલાંઓ પણ સૂચવશે. અને તપાસ સમિતિએ પોતાનો પ્રાથમિક અહેવાલ ૩૦ દિવસમાં રાજ્ય સરકારને સુપરત કરવાનો રહેશે.
આ તપાસ સમિતિમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મુખ્ય ઇજનેર, માર્ગ અને મકાન વિભાગના ડિઝાઇન સર્કલના મુખ્ય અથવા અધિક્ષક ઇજનેર, GERI વડોદરાના એક પ્રતિનિધિ તેમજ ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીના એક પ્રતિનિધિની સેવાઓ જરૂર જણાયે લેવામાં આવશે તેમ પણ ઠરાવવામાં આવ્યું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. મહત્વનું છે કે, બોપલથી શાંતિપુરા જતા રિંગ રોડ પર વાયએમસી ક્લબ રોડના ટર્નિંગ પાસે છેલ્લાં છ મહિનાથી ઔડા દ્વારા બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે.