રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર થયાવત જોવા મળી રહ્યો છે. જે એક જ દિવસમાં શહેરમાં 59 કોરોના ના કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં 10 અને ગ્રામ્યમાં 18 મળી 28 કેસ નોંધાયા છે. જયારે રાજકોટ ની મારવાડી કોલેજ માં ઇથોપીયાં થી આવેલી વિદ્યાર્થીની સંક્રમિત થઇ છે. આ ઉપરાંત મોરબી માં 2 વર્ષેની બાળકી પણ કોરોનાથી સંક્રમિત થઇ હોવાનું સામે આવ્યું છે. જ્યારે ભાવનગરમાં 10, જામનગર માં 7, અમરેલી માં 5, જૂનાગઢ જિલ્લા માં 3 અને મોરબી જિલ્લામાં 3 કેસ નોંધાયા છે. જે કોરોનાની ત્રીજી લહેર વચ્ચે હવે નાના બાળકો અને વૃદ્ધ કોરોનામાં સ્પડાઈ રહ્યા છે.

કોરોના કેસ વધી રહયા હોવા છતાં લોકોમાં હજુ બેદરકારી જોવા મળી રહી છે બીજી તરફ સરકારી મેળાવડાનાં આયોજનોથી આગામી દિવસોમાં કોરોનાની સ્થિતિ હજુ જોખમી થશે તેવી ભિતી સેવાઈ રહી છે. જો કે હાલમાં લોકો અને સરકારની બેદરકારીના કારણે કોરોના કેસોનો રાફડો ફરી ફાટ્યો છે. જે સરકારના વિવિધ કાર્યક્રમો અને ખાનગી કાર્યક્રમોમાં ને કારણે નેવે મુકાયેલી કોરોનાની ગાઈડલાઇનનું પરિણામ હવે સામે આવી રહ્યું છે ત્યારે ફરી કોરોના રાજકોટમાં ટોપ ગિયરમાં આવી ગયો છે. જે ચિંતાનો વિષય બની રહ્યો છે.

રાજ્યમાં છેલ્લાં કેટલાંક સમયથી સરકાર અને નાગરિકો કોરોના વાયરસના અસ્તિત્વને ભૂલી બેદરકારી દાખવી રહ્યા છે. જેનાં કારણે કોરોનાના કેસોમાં સતત ધીમો વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાની પહેલી લહેરમાંથી માંડ લોકોને કળ વળી હતી ત્યાં કોરોનાની બીજી લહેરે દાઝ્યા પર ડામ આપ્યો હતો, ત્યારે હવે કોરોના ના નવા વેરિયટ આ તમામ રેકોર્ડ તોડી રહ્યા છે. જેને લઈને ચિંતા ઉભી થઇ રહી છે.