ગુજરાતમાં કોરોનાનો કહેર છેલ્લા થોડા દિવસોથી જોવા મળી રહ્યો છે. છેલ્લા થોડા મહિનાથી શાંત રહેલ કોરોનાનો કહેર હવે ફરી જોવા મળી રહ્યો છે અને સતત કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના લીધે લોકોમાં ફરી ભયનો માહોલ ઉભો થતો જોવા મળી રહ્યો છે. જ્યારે હાલના સમયમાં કોરોના નવા સ્વરૂપ ઓમિક્રોને પણ હાહાકાર સર્જ્યો છે.

અમદાવાદની સ્કૂલોમાં કોરોનાનો પગપેસારો વધી રહ્યો છે. મહારાજા અગ્રસેન અને સત્વ વિકાસ સ્કૂલમાં એક એક વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ સામે આવ્યો છે. અમદાવાદની સ્કૂલમાં અત્યાર સુધી 8 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ સામે આવ્યા છે.

જ્યારે અગાઉ નિરમાં સ્કૂલમાં ત્રણ , ઉદગમમાં 1 અનંદનિકેતનમાં 1 અને અમદાવાદ ઇન્ટરનેશનલ માં 1 વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા હતા. અમદાવાદની સ્કૂલોમાં ધીમે ધીમે કોરોના પ્રવેશ કરી રહ્યો છે. Deo એ બંને સ્કૂલોને 10 દિવસ વર્ગો બંધ રાખવા સૂચના આપી છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ઓમિક્રોનનું આક્રમણ શરુ થઈ ગયું છે. ગુજરાતમાં અત્યાર સુધી ઓમિક્રોનના 23 કેસ સામે આવ્યા છે. 23 માંથી 4 લોકો સાજા થઈ ગયા છે. હાલમાં ઓમિક્રોનના 19 કેસ એક્ટિવ રહેલા છે. મહેસાણા,વડોદરા અને આણંદમાં 3-3 કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં ઓમિક્રોનના વધુ 5 કેસ નોંધાયા છે.