કોરોના વિસ્ફોટ થતા સરકાર ચિંતીત, અમદાવાદમાં હાઈપ્રોફાઈલ બેઠકનું આયોજન

રાજ્યમાં છેલ્લાં કેટલાંક સમયથી સરકાર અને નાગરિકો કોરોના વાયરસ ના અસ્તિત્વને ભૂલી બેદરકારી દાખવી રહ્યા છે. જેનાં કારણે કોરોનાના કેસોમાં સતત ધીમો વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાની પહેલી લહેરમાંથી માંડ લોકોને કળ વળી હતી ત્યાં કોરોનાની બીજી લહેરે દાઝ્યા પર ડામ આપ્યો હતો, ત્યારે હવે કોરોના ના નવા વેરિયટ આ તમામ રેકોર્ડ તોડી રહ્યા છે. જેને લઈને ચિંતા ઉભી થઇ રહી છે.
ઓમિક્રોનના આગમન બાદ ત્રીજી લહેરની શંકા ડોક્ટરો વ્યક્ત કરી રહ્યા હતા જે સાચી પડે તેવા સંજોગો ઉભા થયા છે. જેના પગલે તંત્ર ચિંતિત બન્યુ છે અને લોકોને કોવિડ ગાઇડ લાઇનનું સખ્ત પાલન કરવા અનુરોધ કર્યો છે.
અમદાવાદમાં કોરોના વિસ્ફોટ થતા સરકાર ચિંતીત જોવા મળી રહી છે. મુખ્યમંત્રીની હાજરીમાં સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવશે. રિવરફ્રન્ટ હાઉસ ખાતે રિવ્યુ બેઠક યોજવામાં આવશે. કોરોનાની સ્થિતિ અંગે મુખ્યમંત્રી સમીક્ષા કરશે. મ્યુનિસિપલ કમીશ્નર, મેયર , ડેપ્યુટી કમિશ્નર અને આરોગ્ય અધિકારીઓ આ દરમિયાન હાજર રહેશે.
જો કે હાલમાં લોકો અને સરકારની બેદરકારીના કારણે કોરોના કેસોનો રાફડો ફરી ફાટ્યો છે. જે સરકારના વિવિધ કાર્યક્રમો અને ખાનગી કાર્યક્રમોમાં ને કારણે નેવે મુકાયેલી કોરોનાની ગાઈડલાઇનનું પરિણામ હવે સામે આવી રહ્યું છે ત્યારે ફરી કોરોના રાજકોટમાં ટોપ ગિયરમાં આવી ગયો છે. જે ચિંતાનો વિષય બની રહ્યો છે.