GSSSB દ્વારા રવિવારના લેવાયેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું હિંમતનગર તાલુકામાં થી પેપર લીક થયાનો મામલો સામે આવતા રાજકારણ ગરમાવો આવી ગયો છે. જ્યારે આ મામલે આજે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પ્રેસ કોન્ફરન્સને કરીને મોટો ખુલાસો કરવામાં આવ્યો હતો. તેની સાથે સરકાર દ્વારા પેપર લીક થયાના મામલાનો સ્વીકાર કરવામાં આવ્યો છે.

આ મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં 406, 420, 409, 120 મુજબ ગુનો દાખલ કરાયો છે. જેમાં મુખ્ય શંકાસ્પદ આરોપીએ પેપર લીક, સોલ્વ કર્યુ છે. તથા પ્રાથમિક તપાસમાં 10 લોકોના નામ સામે આવ્યા છે. જેમાં તપાસ માટે પોલીસની 24 ટીમ બનાવાઈ છે. તેમાં દાખલારૂપ કાર્યવાહી કરાશે તેમ પણ હર્ષ સંઘવીએ જણાવ્યું છે.

જ્યારે સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, 1 આચાર્ય સહિત 4 શિક્ષકોની પેપર લીક કાંડમાં સંડોવણી હોવાનું સામે આવ્યું છે. સાબરકાંઠાની 1 સ્ફુલ ના આચાર્ય ની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આચાર્ય એ 4 લાખ માં પેપર ખરીદ્યું હોવાની ચર્ચા સામે આવી રહી છે.

પેપરકાંડ મામલે નર્સિગ યુનિયને પણ ચીમકી આપી છે. ઓલ ગુજરાત નર્સિગ યુનિયને આરોગ્ય મંત્રીને આ અંગે પત્ર લખ્યો છે. તેમના કથિત દાવા મુજબ આરોપીઓએ નર્સિગ સ્ટાફના પેપર પણ ફુટ્યા હોવાનુ કબુલ્યુ છે. અગાઉ થયેલી 20 જૂને લેવાયેલી સ્ટાફ નર્સની પરીક્ષામાં પેપર લીક થયા હતા. સ્ટાફ નર્સમાં અનેક લોકો પેપર લીક થવાથી લાગ્યા હોવાનો આક્ષેપ લાગ્યો છે. કાર્યવાહી નહી કરવામા આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે.