વાલી-વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર – અમદાવાદની સ્કૂલોમાં ફરી એકવાર કોરોનાનો પ્રવેશ

ગુજરાતમાં કોરોનાનો કહેર છેલ્લા થોડા દિવસોથી જોવા મળી રહ્યો છે. છેલ્લા થોડા મહિનાથી શાંત રહેલ કોરોનાનો કહેર હવે ફરી જોવા મળી રહ્યો છે અને સતત કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના લીધે લોકોમાં ફરી ભયનો માહોલ ઉભો થતો જોવા મળી રહ્યો છે. જ્યારે હાલના સમયમાં કોરોના નવા સ્વરૂપ ઓમીક્રોને પણ હાહાકાર સર્જ્યો છે. જ્યારે આ મામલે અમદાવાદથી ચિંતાના સમાચાર સામે આવ્યા છે.
નોંધનીય છે કે, રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા સ્કૂલોને શરુ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે પરંતુ આ નિર્ણય સરકાર યોગ્ય રહ્યો તેવું જોવા મળી રહ્યું નથી. કેમકે અનેક શાળામાંથી વિદ્યાર્થીઓને કોરોના થયો હોવાનું સામે આવી રહ્યું છે. જેના લીધે સરકારની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે અમદાવાદમાં આજે એવું જ કંઇક થયું છે.
અમદાવાદની સ્કૂલોમાં ફરી એકવાર કોરોનાનો પ્રવેશ થયો છે. જેમાં છારોડીની નિરમા વિદ્યાવિહારમાં વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ આવ્યો છે. નિરમાના ધોરણ 5, 9 અને 11 ના ત્રણ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ સામે આવ્યા છે. જ્યારે ઉદગમ સ્કૂલમાં પણ ધોરણ-2 ની વિદ્યાર્થીની કોરોના પોઝિટિવ સામે આવી છે. Deo દ્વારા બંને સ્કૂલોના 1 વિક સુધી ઓફલાઇન વર્ગો બંધ રાખવા સૂચન આપવામાં આવેલ છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 68 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 43 દર્દી કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા છે અને અમદાવાદમાં સૌથી વધુ 20 નવા કેસ સામે આવ્યા છે. તેની સાથે એક સારા સમાચાર પણ છે કે આજે કોરોનાથી એકપણ વ્યક્તિનું મોત થયું નથી.