ગુજરાતમાં કોરોનાનો કહેર છેલ્લા થોડા દિવસોથી જોવા મળી રહ્યો છે. છેલ્લા થોડા મહિનાથી શાંત રહેલ કોરોનાનો કહેર હવે ફરી જોવા મળી રહ્યો છે અને સતત કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના લીધે લોકોમાં ફરી ભયનો માહોલ ઉભો થતો જોવા મળી રહ્યો છે. જ્યારે હાલના સમયમાં કોરોના નવા સ્વરૂપ ઓમીક્રોને પણ હાહાકાર સર્જ્યો છે.

રાજ્યમાં ઓમિક્રોનનું આક્રમણ શરુ થઈ ગયું છે. ગુજરાતમાં અત્યાર સુધી ઓમિક્રોનના 23 કેસ સામે આવ્યા છે. 23 માંથી 4 લોકો સાજા થઈ ગયા છે. હાલમાં ઓમિક્રોનના 19 કેસ એક્ટિવ રહેલા છે. મહેસાણા,વડોદરા અને આણંદમાં 3-3 કેસ સામે આવ્યા છે.

જ્યારે અમદાવાદમાં ઓમિક્રોનના વધુ 5 કેસ નોંધાયા. થલતેજ, મણીનગર, નવરંગપુરામાં એક-એક કેસ અને મકરબા વિસ્તારમાં ઓમિક્રોનના 2 કેસ નોંધાયા છે. અમદાવાદમાં ઓમિક્રોનના કુલ 7 કેસ નોંધાયા છે. જ્યારે ગુજરાત રાજ્યમાં એક જ દિવસમાં ઓમિક્રોનનાં 9 કેસ આવતા હાલ કેસ સંખ્યા 23 થઈ ગઈ છે.