ગુજરાતમાં કોરોનાનો કહેર છેલ્લા થોડા દિવસોથી જોવા મળી રહ્યો છે. છેલ્લા થોડા મહિનાથી શાંત રહેલ કોરોનાનો કહેર હવે ફરી જોવા મળી રહ્યો છે અને સતત કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના લીધે લોકોમાં ફરી ભયનો માહોલ ઉભો થતો જોવા મળી રહ્યો છે. જ્યારે હાલના સમયમાં કોરોના નવા સ્વરૂપ ઓમીક્રોને પણ હાહાકાર સર્જ્યો છે. તેની સાથે સતત કોરોનાના કેસ સ્કૂલોમાં આવી રહ્યા છે. જ્યારે સરકારના સ્કૂલો ખોલવાના નિયમ પર વિચારણા કરવી પડી શકે છે.

 

રાજયમાં ટોટલ 35 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. સુરતમાં 15, અમદાવાદમાં 6, વડોદરા અને બનાસકાંઠામાં 2-2 વિદ્યાર્થીઓ પોઝિટિવ થયા છે. નવસારી, દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છમાં 1- 1 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમતિ થયા છે.

 

અમદાવાદની આનંદનિકેતન અને અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પણ થોડા સમય પહેલા 1-1 બાળક કોરોના સંક્રમિત થયા હતા. આનંદનિકેતન અને અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલે DEO ને જાણ કરવાનું ટાળ્યું હતું. જ્યારે આ કોરોના કેસ ભયાનક છે. કેમકે સતત સ્કૂલોમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે.

 

નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 68 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 74 દર્દી કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા છે. આજે અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 14 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી એકપણ વ્યક્તિનું મોત થયું નથી.