તાજેતરમાં રાજ્યમાં ગૌણ સેવા દ્વારા લેવાયેલી પરીક્ષા લીક મામલે ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેઓએ જણાવ્યું કે, પોલીસે પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કર્યો છે. પેપર લેનાર લોકોને પકડવામાં આવશે. હજી તપાસ ચાલી રહી છે. આ રૂપિયાની રકમ વધશે. પોલીસે આજ દિન સુધી 30 લાખ રિકવર કર્યા છે. પ્રિન્ટિંગ પ્રેસના કર્મચારી સામે કડક પગલાં લેવામાં આવશે. આ કેસ હિસ્ટ્રોરિકલ સમયમાં પૂરો થાય તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેવી રીતે કેસ ચલાવાય તેની વિચારણા થઈ રહી છે. જો કે ગૌણ સેવા દ્વારા લેવાયેલી લેખિત પરીક્ષા રદ કરવામાં આવી છે. આ પરીક્ષા ટૂંક સમયમાં ફરીથી લેવામાં આવશે. જે માર્ચ મહિનામાં પરીક્ષા લેવામાં આવશે.

તેમને વધુમાં જણાવ્યું છે કે આ પેપર લીકમાં સામેલ આરોપીને પકડી પાડ્યા છે અને તેની વધુ તપાસ ચાલુ છે. જેમની પાસેથી 30 લાખ જેટલી રકમ પણ જપ્ત કરી લેવામાં આવી છે. જેમને આ તમામ આરોપી સામે કડકમાં કડક પગલાં લેવાનું વચન આપ્યું છે. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે. માર્ચ મહિનામાં ફરી પરીક્ષા લેવામાં આવશે. જુના ઉમેદવારો ફરી પરીક્ષા આપી શકશે. જેને ફોર્મ ભર્યા છે તે પરીક્ષામાં લાયક ગણાશે. 70 વિદ્યાથીઓએ પેપર લીધા છે તે પરીક્ષા નહિ આપી શકે. ગૌણ સેવા પસંદગી મંડળ જ પરીક્ષા લેશે. જો કે, ગૃહ રાજ્યમંત્રીએ અસિત વોરાનું રાજીનામાં મામલે જવાબ આપવાનો ટાળ્યો છે.

પોલીસે પ્રાતિજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કર્યો છે. પેપર લેનાર લોકોને પકડવામાં આવશે. હજી તપાસ ચાલી રહી છે. આ રૂપિયાની રકમ વધશે. પોલીસે આજ દિન સુધી 30 લાખ રિકવર કર્યા છે. પ્રિન્ટિંગ પ્રેસના કર્મચારી સામે કડક પગલાં લેવામાં આવશે. આ કેસ હિસ્ટ્રોરિકલ સમયમાં પૂરો થાય તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેવી રીતે કેસ ચલાવાય તેની વિચારણા થઈ રહી છે. જો કે ગૌણ સેવા દ્વારા લેવાયેલી લેખિત પરીક્ષા રદ કરવામાં આવી છે. આ પરીક્ષા ટૂંક સમયમાં ફરીથી લેવામાં આવશે. જે માર્ચ મહિનામાં પરીક્ષા લેવામાં આવશે.