સૌરાષ્ટ્ર માટે ચિંતાજનક સમાચાર, કોરોનાના કેસમાં મોટા ઉછાળો….!

ગુજરાતમાં કોરોનાનો કહેર છેલ્લા થોડા દિવસોથી જોવા મળી રહ્યો છે. છેલ્લા થોડા મહિનાથી શાંત રહેલ કોરોનાનો કહેર હવે ફરી જોવા મળી રહ્યો છે અને સતત કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના લીધે લોકોમાં ફરી ભયનો માહોલ ઉભો થતો જોવા મળી રહ્યો છે. જ્યારે હાલના સમયમાં કોરોના નવા સ્વરૂપ ઓમીક્રોને પણ હાહાકાર સર્જ્યો છે. તેની સાથે રાજકોટમાં કોરોનાના કેસમાં વધારો થયો છે.
રાજકોટમાં કોરોના કેસોમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. રાજકોટ 24 કલાકમાં 15 કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં 11 કેસ જિલ્લામાં 3 કેસ નોંધાયા છે. રાજકોટ શહેર ના 53 દર્દી હાલ સારવાર હેઠળ રહેલા છે. જ્યારે ગોવા, વ્રજ મથુરા થી આવેલા લોકો સંક્રમિત જોવા મળ્યા છે. એક જ પરિવાર ના 3 તો અન્ય 2 લોકો સંક્રમિત થયા છે.
નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 111 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 78 દર્દી કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 43 નવા કેસ સામે આવ્યા છે. તેની સાથે છેલ્લા ૨૪ કલાકમાં આણંદ અને જામનગર શહેરમાં કોરોનાથી 1-1 દર્દીનું મોત નીપજ્યું છે.
તેની સાથે ગુજરાતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 30 કેસ સામે આવ્યા છે જેમાંથી હાલમાં 25 લોકો સારવાર હેઠળ રહેલા છે જ્યારે 5 ને રજા આપવામાં આવી છે. તેમ છતાં સારી વાત એ છે કે, અત્યાર સુધીમાં ઓમિક્રોનના લીધે એક પણ મોત નીપજ્યું નથી.