ગુજરાતમાં કોરોનાનો કહેર છેલ્લા થોડા દિવસોથી જોવા મળી રહ્યો છે. છેલ્લા થોડા મહિનાથી શાંત રહેલ કોરોનાનો કહેર હવે ફરી જોવા મળી રહ્યો છે અને સતત કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના લીધે લોકોમાં ફરી ભયનો માહોલ ઉભો થતો જોવા મળી રહ્યો છે. જ્યારે હાલના સમયમાં કોરોના નવા સ્વરૂપ ઓમીક્રોને પણ હાહાકાર સર્જ્યો છે.

રાજકોટમાં શહેર અને જિલ્લામાં મળીને કોરોનાના 10 કેસ સામે આવ્યા છે. જેમાં સારવાર દરમિયાન એક વૃદ્ધનું મૃત્યુ થયું હતું. ધોરાજીના વૃદ્ધનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. સિટી સાથે ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાના કેસ નોંધાતા તંત્રની ચિંતામાં વધારો થઈ રહ્યો છે.

તેની સાથે રાજ્ય સરકાર દ્વારા કોરોના અને ઓમિક્રોનનો કહેર જોતા ૮ મહાનગરોના રાત્રી કર્ફ્યુંને વધારી દીધો છે. જેના લીધે રાત્રી કર્ફ્યું 11વાગ્યાથી સવાર 5ના વાગ્યા સુધીનું કરી દેવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 98 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 69 દર્દીઓ કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા છે. જ્યારે વડોદરામાં 7 સહિત રાજ્યમાં 13 નવા ઓમિક્રોનના કેસ સામે આવ્યા છે. તેની સાથે અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 32 નવા કેસ સામે આવ્યા છે. તેના સિવાય છેલ્લા અમદાવાદ શહેર, જામનગર શહેર અને પોરબંદરમાં કોરોનાની સારવાર દરમીયાન 1-1 દર્દીનું મોત નીપજ્યું છે.

તેની સાથે ગુજરાતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 30 કેસ સામે આવ્યા છે જેમાંથી હાલમાં 25 લોકો સારવાર હેઠળ રહેલા છે જ્યારે 5 ને રજા આપવામાં આવી છે. તેમ છતાં સારી વાત એ છે કે, અત્યાર સુધીમાં ઓમિક્રોનના લીધે એક પણ મોત નીપજ્યું નથી.