દેશમાં એક દિવસમાં કોરોના વાયરસના 5,379 નવા કેસ સામે આવતા, ચેપના કેસોની સંખ્યા વધીને 4,44,72,241 થઈ ગઈ છે. બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ, ચેપને કારણે 27 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં મૃત્યુઆંક વધીને 5,28,057 થઈ ગયો છે. દેશમાં સક્રિય કોવિડ દર્દીઓની સંખ્યા ઘટીને 50,594 થઈ ગઈ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, કોવિડ-19ના સક્રિય દર્દીઓની સંખ્યા ચેપના કુલ કેસના 0.11 ટકા છે, જ્યારે સંક્રમિત દર્દીઓનો રાષ્ટ્રીય સ્વસ્થ થવાનો દર વધીને 98.70 ટકા થઈ ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન, સક્રિય કોવિડ -19 માટે સારવાર લઈ રહેલા લોકોની સંખ્યામાં 1,742 નો ઘટાડો થયો છે.

દૈનિક ચેપ દર 1.67 ટકા અને સાપ્તાહિક ચેપ દર 2 ટકા નોંધાયો હતો. કોવિડ-19 રોગમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,38,93,590 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુ દર 1.19 ટકા નોંધાયો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશવ્યાપી કોવિડ-19 રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 213.91 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

નોંધપાત્ર વાત એ છે કે, 7 ઓગસ્ટ 2020 ના રોજ દેશમાં કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ અને 5 સપ્ટેમ્બરે 40 લાખને પાર થઈ ગઈ હતી. તે 28મી સપ્ટેમ્બરે 60 લાખ, 11મી ઓક્ટોબરે 70 લાખ, 29 મી ઓક્ટોબરે 80 લાખ, 20 મી નવેમ્બરે 90 લાખ અને 19 મી ડિસેમ્બરે એક કરોડને પાર કરી ગયો હતો. ભારત 4 મેના રોજ બે કરોડ, ગયા વર્ષે 23 જૂન 2021ના રોજ ત્રણ કરોડ અને આ વર્ષે 25 જાન્યુઆરીએ ચાર કરોડ સુધી પહોંચી ગયા છે.