ગણેશ ઉત્સવની વચ્ચે મુંબઈમાં કોરોનાનો કહેર વધ્યો, મુત્યુદરમાં થયો વધારો

મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં એક તરફ ગણેશ ઉત્સવની ઉજવણી થઈ રહી છે તો બીજી તરફ કોરોનાને કારણે લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. જો કે કોવિડના કેસ વધુ નોંધાઈ રહ્યા નથી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં શહેરમાં મૃત્યુદરમાં વધારો થયો છે. મુંબઈમાં છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાને કારણે 12 લોકોના મોત નીપજ્યા છે.
મુંબઈમાં 2 વર્ષ બાદ ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે, પરંતુ હજુ સુધી કોરોના સંપૂર્ણ રીતે સમાપ્ત થયો નથી. આ દરમિયાન, બજારો, ગણેશ મંડળો અને મંદિરોમાં ભીડ પર કોઈ નિયંત્રણ નથી. જો કે, છેલ્લા કેટલાક દિવસોમાં, કોરોનાથી મૃત્યુ પામેલા તમામ દર્દીઓ ડાયાબિટીસ, હાઈ બીપી, કિડનીની બિમારીથી પીડિત હતા અને તમામની ઉંમર 50 વર્ષથી વધુ હતી.
છેલ્લા છ દિવસમાં મુંબઈનો કોરોના રેકોર્ડ
28 ઓગસ્ટ – 610 નવા કોરોના કેસ મળી આવ્યા, જેમાંથી 93 ટકા દર્દીઓમાં કોઈ લક્ષણો નહોતા. આ દરમિયાન 3 દર્દીઓના મોત થયા હતા.
ઓગસ્ટ 29 – 351 નવા કેસ મળી આવ્યા હતા અને 90 ટકા દર્દીઓમાં કોઈ લક્ષણો નહોતા. કોવિડને કારણે 3 દર્દીઓના મોત થયા છે.
30 ઓગસ્ટ – 516 નવા કોરોના કેસ નોંધાયા હતા અને 94 ટકા દર્દીઓમાં કોઈ લક્ષણો દેખાતા ન હતા જ્યારે 3 દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો.
ઓગસ્ટ 31 – 638 નવા કેસ આવ્યા અને 4 દર્દીઓના મોત નીપજ્યા છે. નવા કેસોમાં 93 ટકા દર્દીઓમાં કોઈ લક્ષણો જોવા મળ્યા નથી.
01 સપ્ટેમ્બર – 272 નવા કોવિડ કેસ મળ્યા અને 4 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. લગભગ 90 ટકા દર્દીઓમાં કોઈ લક્ષણો જોવા મળ્યા નથી.
02 સપ્ટેમ્બર – 402 નવા કેસ મળી આવ્યા જ્યારે 4 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. લગભગ 91 ટકા દર્દીઓમાં કોઈ લક્ષણો જોવા મળ્યા નથી.