દેશમાં કોરોના વાયરસનો આંકડો અટકવાનું નામ લઈ રહ્યા નથી. દરરોજ આંકડો 15-16 હજારથી વધુ નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20 હજાર 557 નવા કેસ નોંધાયા છે. જ્યારે, આ દરમિયાન કોરોનાના લીધે 44 લોકોના મોત નીપજ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા બાદ હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 1 લાખ 46 હજાર 323 થઈ ગઈ છે.

તે જ સમયે, જો આપણે દેશમાં કોરોનાના કુલ આંકડાઓ પર નજર કરીએ, તો હવે આ સંખ્યા વધીને 4 કરોડ 39 લાખ 59 હજાર 321 થઈ ગઈ છે. આ રોગચાળાને કારણે કુલ મૃત્યુઆંક 5 લાખ 26 હજાર 211 થઈ ગયો છે. પાછલા દિવસના આંકડા સાથે સરખામણી કરીએ તો આજનો આંકડો ગઈકાલના આંકડા કરતા વધુ છે. આગલા દિવસે દેશમાં 18313 કેસ નોંધાયા હતા. આ દરમિયાન 57 લોકોએ જીવ ગુમાવ્યા છે.

જ્યારે દર્દીઓની રિકવરી સ્થિતિ પર નજર કરીએ, તો અત્યાર સુધીમાં 4 કરોડ 32 લાખ 86 હજાર 787 દર્દીઓ આ કોરોનાથી સાજા થઈ ચૂક્યા છે. દેશમાં રસીકરણની પ્રક્રિયા પણ ઝડપથી ચાલી રહી છે. છેલ્લા 24 કલાકમાં 40 લાખ 69 હજાર 241 લોકોએ રસીના ડોઝ લીધા છે, જે બાદ હવે રસીકરણની કુલ સંખ્યા વધીને 203 કરોડ 21 લાખ 82 હજાર 341 થઈ ગઈ છે.