દેશમાં કોરોનાનો કહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 6,298 કેસ સામે આવ્યા છે. શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, 24 કલાકમાં 5,916 લોકો કોરોના સંક્રમણથી સાજા પણ થયા છે.
તાજેતરના ડેટા મુજબ, દેશમાં હવે 46,748 સક્રિય કોરોના કેસ રહેલા છે, જે કુલ કોરોના કેસના 0.10 ટકા છે. જ્યારે દૈનિક સંક્રમણ ના દર 1.89 ટકા થઈ ગયા છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 23 મોત નોંધાયા છે. આંકડાઓ પર નજર કરીએ તો તેમાં કેરળના ચાર જૂના કેસ પણ સામેલ છે. ત્યાર બાદ દેશમાં કોરોનાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5,28,273 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, કોરોના સંક્રમણનો રિકવરી રેટ હવે વધીને 98.71 ટકા થઈ ગયો છે.
અત્યાર સુધીમાં 43947756 લોકો સાજા થયા છે
જ્યારે, અત્યાર સુધીમાં 43947756 લોકો કોરોનાથી સાજા પણ થયા છે. જ્યારે રસીકરણ અભિયાન હેઠળ, છેલ્લા 24 કલાકમાં 19,61,896 લોકોએ કોરોનાની રસી મેળવી છે. અત્યાર સુધીમાં 2,16,17,78,020 લોકોએ એન્ટિ-કોરોના રસીનો ડોઝ લીધો છે.