Indian Railways: તહેવારોની સિઝનમાં આવતીકાલથી પ્લેટફોર્મ ટિકિટના ડબલ ભાવ ચૂકવવા પડશે, ખિસ્સા પર પડશે વધારાનો બોજ, જાણો બધુ

તહેવારોની સિઝનમાં ટ્રેનોની ભીડ ઓછી કરવા અને વધુ સુવિધાઓ આપવા માટે સતત નિર્ણયો લેવામાં આવે છે. તે જ સમયે, પ્લેટફોર્મ પર વધારાની ભીડને નિયંત્રિત કરવા અને અટકાવવા માટે દક્ષિણ રેલવે દ્વારા પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં બમણો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે 10 રૂપિયામાં મળતી પ્લેટફોર્મ ટિકિટ માટે હવે 20 રૂપિયા ચૂકવવા પડશે. આ બધું તહેવારોની સિઝનમાં પ્લેટફોર્મ પર વધતી ભીડને રોકવાના નિર્ણય તરીકે કહેવામાં આવ્યું છે.
દક્ષિણ રેલવે દ્વારા આ અંગે એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. કહેવામાં આવ્યું છે કે તહેવાર દરમિયાન વધુ ભીડ ન થાય તે માટે 1 ઓક્ટોબરથી 31 જાન્યુઆરી 2023 સુધી પ્લેટફોર્મ ટિકિટની કિંમત 10 રૂપિયાથી વધારીને 20 રૂપિયા પ્રતિ વ્યક્તિ કરવામાં આવી છે. જણાવી દઈએ કે માત્ર દક્ષિણ રેલવેએ પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો કર્યો છે. દક્ષિણ રેલ્વેનું મુખ્ય મથક ચેન્નાઈમાં છે. એટલે કે આવતીકાલથી દક્ષિણના તમામ રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ 20 રૂપિયામાં ઉપલબ્ધ થશે.
The platform ticket fare has been raised from Rs 10 to Rs 20 per person from October 1st to January 31st 2023, to avoid overcrowding during festival time: Southern Railway. pic.twitter.com/lVQ0rNLuMu
— ANI (@ANI) September 29, 2022
ચેન્નાઈ ડિવિઝનમાં મુખ્યત્વે ચેન્નાઈ સેન્ટ્રલ, ચેન્નાઈ એગ્મોર, તાંબરમ, કટપડી, ચાંગલપટ્ટુ, અરક્કોરમ, તિરુવલ્લુર અને અવડી રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે. પરંતુ પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારાને કારણે આ તમામ રેલવે સ્ટેશનો પર જવા માટે લોકોએ પોતાના ખિસ્સા હળવા કરવા પડશે.
જણાવી દઈએ કે ઓક્ટોબરથી જાન્યુઆરી સુધી ઘણા તહેવારો આવે છે. જેમાં ખાસ કરીને દિવાળી, દશેરા સહિતના અન્ય તહેવારોમાં લોકો પોતપોતાના ઘરે જાય છે. આ કારણે મોટી સંખ્યામાં લોકો તેમને સ્ટેશનો પર મૂકવા માટે પ્લેટફોર્મ પર પણ જાય છે. આવી સ્થિતિમાં પ્લેટફોર્મ ટિકિટના ભાવ વધવાથી લોકો પર વધારાનો બોજ વધશે.