Omicron Update: દેશમાં ‘ઓમિક્રોન’ સંક્રમિતોની સંખ્યા 100ને પાર, સરકારે બિનજરૂરી મુસાફરી ટાળવાની આપી સલાહ

Omicron India Latest Update : દેશમાં કોરોનાના નવા ઓમિક્રોન વેરિઅન્ટે જોર પકડ્યું છે. ધીમે ધીમે તેનો વ્યાપ વધી રહ્યો છે. શુક્રવારે ભારતમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 100ને વટાવી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે દેશમાં હાલમાં ઓમિક્રોન સંક્રમિતોની કુલ સંખ્યા 101 છે. સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું હતું કે કોરોનાનું ઓમિક્રોન વેરિઅન્ટ ઝડપથી ફેલાઈ રહ્યું છે અને ટૂંક સમયમાં તે ડેલ્ટા વેરિઅન્ટને પણ પાછળ છોડી શકે છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે ઓમિક્રોન વેરિઅન્ટ વિશ્વના 91 દેશોમાં પહોંચી ગયું છે. ડબ્લ્યુએચઓએ કહ્યું છે કે ઓમિક્રોન દક્ષિણ આફ્રિકામાં ડેલ્ટા વર્ઝન કરતાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યું છે, જ્યાં ડેલ્ટાનું પરિભ્રમણ ઓછું હતું.
There are 101 Omicron cases across 11 states in the country: Lav Agrawal, Joint Secretary, Health Ministry pic.twitter.com/2OPjHBQ38b
— ANI (@ANI) December 17, 2021
તેમણે કહ્યું કે એવી સંભાવના છે કે ઓમિક્રોન ડેલ્ટા વર્ઝનથી આગળ નીકળી જશે. બીજી તરફ, ICMRના ડીજી ડૉ. બલરામ ભાર્ગવે કહ્યું કે બિનજરૂરી મુસાફરી, સામૂહિક મેળાવડાને ટાળવાનો આ સમય છે.
This is the time to avoid non-essential travel, mass gatherings and it is very important to observe low-intensity festivities: Dr. Balram Bhargava, DG ICMR on the emergence of Omicron variant of COVID19 pic.twitter.com/dk29MXM91f
— ANI (@ANI) December 17, 2021