દેશમાં કોરોનાનો કહેર થયો શાંત, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ……

ગુરુવારે દેશમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, 6,395 નવા કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. ત્યાર બાદ કોરોના કેસોની સંખ્યા વધીને 4,44,78,636 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં એકલા કેરળમાં 14 મોત થયા છે, જ્યારે દેશમાં અત્યાર સુધીમાં 33 લોકોના મોત સાથે મૃત્યુઆંક 5,28,090 પર પહોંચી ગયો છે.
દેશમાં સક્રિય કોવિડ દર્દીઓની સંખ્યા ઘટીને 50,594 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, કોવિડ-19 ના સક્રિય દર્દીઓની સંખ્યા ચેપના કુલ કેસના 0.11 ટકા છે, જ્યારે સંક્રમિત દર્દીઓનો રાષ્ટ્રીય સ્વસ્થ થવાનો દર વધીને 98.70 ટકા થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં, સક્રિય કોવિડ-19 માટે સારવાર લઈ રહેલા લોકોની સંખ્યામાં 252 નો ઘટાડો થયો છે. દૈનિક ચેપ દર 1.96 ટકા અને સાપ્તાહિક ચેપ દર 1.88 ટકા નોંધાયો હતો. કોવિડ-19 રોગમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,39,00,204 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુ દર 1.19 ટકા નોંધાયો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશવ્યાપી કોવિડ-19 રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 213.91 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, 7 ઓગસ્ટ 2020ના રોજ દેશમાં કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ, 5 સપ્ટેમ્બરે 40 લાખ અને 16 સપ્ટેમ્બરે 50 લાખને પાર થઈ ગયા હતા. આ 28 મી સપ્ટેમ્બરે 60 લાખ, 11મી ઓક્ટોબરે 70 લાખ, 29 મી ઓક્ટોબરે 80 લાખ, 20મી નવેમ્બરે 90 લાખ અને 19મી ડિસેમ્બરે એક કરોડને પાર થઈ ગયા હતા. દેશ 4 મેના રોજ બે કરોડ, ગયા વર્ષે 23 જૂન 2021ના રોજ ત્રણ કરોડ અને આ વર્ષે 25 જાન્યુઆરીએ ચાર કરોડ સુધી પહોંચી ગયા છે.
બુધવારે, દેશભરમાં કોરોના વાયરસના 5,379 નવા કેસ નોંધાયા છે. જ્યારે ચેપને કારણે 27ના મોત પણ થયા હતા. ગુરુવારે, કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.