ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા કેપ્ટન અમરિંદર સિંહ, પૂર્વ ધારાસભ્યો સાથે પાર્ટીનું કરશે વિલય

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ આજે તેમની પાર્ટીનું ભાજપમાં વિલય કરશે. કેપ્ટન અમરિંદર સિંહની સાથે તેમના પરિવારના સભ્યો અને કોંગ્રેસના કેટલાક પૂર્વ ધારાસભ્યો પણ ભાજપમાં જોડાશે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ હાઈકમાન્ડથી નારાજ થયા બાદ કેપ્ટન અમરિંદર સિંહે પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા પોતાની નવી પાર્ટી પંજાબ લોક કોંગ્રેસની રચના કરી હતી. આજે કેપ્ટન અમરિંદર સિંહ પંજાબ લોક કોંગ્રેસને બીજેપીમાં ભેળવી દેશે.
#WATCH | Former Punjab CM Capt Amarinder Singh meets BJP National president JP Nadda in Delhi ahead of joining BJP today. pic.twitter.com/76AIU9U7yQ
— ANI (@ANI) September 19, 2022
કેપ્ટન અમરિંદર સિંહ દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં પ્રાથમિક સભ્યપદ લેશે. કેપ્ટનની સાથે પંજાબના છ પૂર્વ ધારાસભ્યો, કેપ્ટનના પુત્ર રણિંદર સિંહ, પુત્રી જય ઈન્દર કૌર, પૌત્ર નિર્વાણ સિંહ પણ ભાજપમાં જોડાશે. કેપ્ટન અમરિંદર સિંહની સાંસદ પત્ની પ્રનીત કૌર હાલ કોંગ્રેસમાં જ રહેશે.
નોંધનીય છે કે પંજાબમાં ભાજપ જન આધાર બનાવવાનો પ્રયાસ કરી રહી છે. આ જ કારણ છે કે ભારતીય જનતા પાર્ટી લાંબા સમયથી પંજાબમાં એક મજબૂત શીખ ચહેરાની શોધમાં છે, જે હિન્દુ મતવિસ્તારને પણ સ્વીકાર્ય છે. આ સિવાય કેપ્ટન અમરિન્દર સિંહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ઘણા સારા સંબંધો છે.
કેપ્ટન 80 વર્ષના થયા, ભાજપમાં શું રહેશે ભૂમિકા?
કેપ્ટન અમરિંદર સિંહ કોંગ્રેસ પાર્ટીમાં રહીને બે વખત પંજાબના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. હાલમાં તેમની ઉંમર પણ 80 વર્ષની છે. આ સિવાય ભાજપમાં 75 વર્ષથી વધુ ઉંમરના નેતાઓને ટિકિટ ન આપવાનો નિયમ છે, તેથી કેપ્ટન અમરિંદર માટે ભાજપમાં ટિકિટની માંગ કરવી ખૂબ મુશ્કેલ બની શકે છે. રાજકીય ગલિયારામાં એવી ચર્ચા છે કે કેપ્ટન અમરિંદર સિંહને તેમની પુત્રી માટે મહત્વની ભૂમિકા મળી શકે છે.