INS Vikrant પર રાજકીય ગરમાવો, કોંગ્રેસનો કેન્દ્ર સરકાર પર પ્રહાર, કહ્યું- આ એક મોટી ઉપલબ્ધિ છે, પણ…

ભારતનું પ્રથમ સ્વદેશી યુદ્ધ જહાજ INS Vikrant ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે INS વિક્રાંત દેશવાસીઓને સમર્પિત કર્યું. INS વિક્રાંતને લઈને પણ રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે કેન્દ્ર સરકાર પર INS વિક્રાંતને ક્રેડિટ આપવાનો આરોપ લગાવ્યો છે.
જયરામે કહ્યું, અમારા વડાપ્રધાન ક્યારેય શાસનમાં સાતત્યમાં વિશ્વાસ કરતા નથી. INS વિક્રાંત એ ભારત માટે એક મોટી ઉપલબ્ધિ છે, પરંતુ તે 22 વર્ષ પહેલા કાર્યરત કરવામાં આવી હતી. પહેલા વાજપેયી સરકાર, પછી મનમોહન સરકાર અને હવે મોદી સરકાર, તેમાં સાતત્ય છે.
તેમણે વધુમાં કહ્યું કે અમે ભારતીય નૌકાદળ, એન્જિનિયરો, અધિકારીઓ અને કર્મચારીઓની પ્રશંસા કરીએ છીએ, પરંતુ 2014 પછીની આ સંપૂર્ણ સિદ્ધિ છે તેવું કહેવું ખોટું છે. તેને બનાવવામાં 22 વર્ષ લાગ્યા છે અને તેનો શ્રેય તમામ સરકારોને જાય છે.
અગાઉ, કોંગ્રેસ નેતાએ ટ્વિટ કર્યું હતું કે ભારતનું પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંત 1999 થી તમામ સરકારોનો સામૂહિક પ્રયાસ છે. શું પીએમ સ્વીકારશે? ચાલો જૂના INS વિક્રાંતને પણ યાદ કરીએ જેણે 1971ના યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
India’s 1st indigenous aircraft carrier INS Vikrant commissioned today is a collective effort of all govts since 1999. Will PM acknowledge?
Let’s also recall original INS Vikrant that served us well in 1971 war. Much reviled Krishna Menon played a key role in getting it from UK.
— Jairam Ramesh (@Jairam_Ramesh) September 2, 2022