ચૂંટણી પંચ સામે ધરણા પર બેઠા સિસોદિયા, કહ્યું- ઉમેદવારનું નોમિનેશન ગન પોઈન્ટ પર પરત કરાયું

ગુજરાતની ચૂંટણીનો જંગ ખૂબ જ રસપ્રદ બની રહ્યો છે. આમ આદમી પાર્ટીના સુરત (પૂર્વ)ના ઉમેદવાર કંચન જરીવાલાએ બુધવારે પોતાનું નામાંકન પાછું ખેંચ્યું છે. આ પહેલા AAPએ ભાજપ પર જરીવાલાને અપહરણ કરવાનો અને તેમનું નામાંકન પાછું ખેંચવા દબાણ કરવાનો આરોપ લગાવ્યો હતો.
AAP નેતા મનીષ સિસોદિયાએ આરોપ લગાવ્યો છે કે સુરત (પૂર્વ)ના અમારા ઉમેદવાર કંચલ જરીવાલાને બીજેપી દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. તે ગઈકાલે આરઓ ઓફિસમાં છેલ્લે જોવા મળ્યો હતો.
સિસોદિયાએ મીડિયાને કહ્યું કે ભાજપ AAP ઉમેદવારનું નામાંકન નકારી કાઢવાનો પ્રયાસ કરી રહ્યું છે. સિસોદિયાએ જણાવ્યું કે, 500થી વધુ પોલીસકર્મીઓ કંચન જરીવાલાને બળજબરીથી રિટર્નિંગ ઓફિસરની ઓફિસમાં લઈ ગયા અને તેમના પર નામાંકન પાછું ખેંચવા માટે દબાણ કર્યું. સિસોદિયાએ કહ્યું, જે પણ થઈ રહ્યું છે તે ચૂંટણી પંચ પર સવાલો ઉભા કરે છે. તેમણે કહ્યું કે, મેં ચૂંટણી કમિશનર પાસે એપોઇન્ટમેન્ટ માંગી છે.
#WATCH | Gujarat: AAP candidate from Surat (East) from Gujarat, Kanchan Jariwala, takes back his nomination after he was allegedly kidnapped last evening pic.twitter.com/E1vqqkveNi
— ANI (@ANI) November 16, 2022
AAP સુરતના ઉમેદવારનું નામાંકન પાછું ખેંચાયા બાદ આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, ગુંડાઓ અને પોલીસના બળ પર ઉમેદવારોનું અપહરણ કરવામાં આવી રહ્યું છે અને તેમના નામાંકન પરત કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારની જાહેર ગુંડાગીરી ભારતમાં ક્યારેય જોવા મળી નથી. તો પછી ચૂંટણીનો અર્થ શું છે? પછી લોકશાહી સમાપ્ત થઈ ગઈ.
આ દરમિયાન મનીષ સિસોદિયા ચૂંટણી પંચની ઓફિસે પહોંચ્યા છે. મળતી માહિતી મુજબ તેઓ કાર્યવાહીની માંગ સાથે ધરણા પર બેઠા છે. સિસોદિયાએ ટ્વિટ કરીને કહ્યું કે, ઉમેદવારનું અપહરણ કરવામાં આવ્યું હતું. ગન પોઈન્ટ પર તેમનું નામાંકન પાછું ખેંચી લેવામાં આવ્યું હતું. ચૂંટણી પંચ માટે આનાથી મોટી ઈમરજન્સી કઈ હોઈ શકે? એટલા માટે અમે તાત્કાલિક પગલાં લેવાની વિનંતી સાથે કેન્દ્રીય ચૂંટણી પંચના દરવાજે આવ્યા છીએ.