રાહુલ દ્રવિડે કન્ફર્મ કર્યું, સેમીફાઈનલમાં ભારતીય ટીમમાં ફેરફાર જોવા મળશે

ભારતીય ક્રિકેટ ટીમના કોચ રાહુલ દ્રવિડે સ્વીકાર્યું છે કે, તે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2022 માં ઈંગ્લેન્ડ સામેની આગામી સેમીફાઈનલ માટે તેની પ્લેઈંગ ઈલેવન બદલવાનું વિચારશે. રાહુલ દ્રવિડની ટીમ રવિવારે સુપર 12 ની છેલ્લી મેચમાં ઝિમ્બાબ્વે સામે 71 રને આરામદાયક જીત મેળવીને ગ્રુપ 2 પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. ભારતે ઈંગ્લેન્ડ સામે સેમીફાઈનલ રમવાની છે.
જોસ બટલરની આગેવાની હેઠળની ઈંગ્લેન્ડની ટીમનો મુકાબલો કરવા માટે ભારત ગુરુવારે એડિલેડ જશે. અગાઉ દ્રવિડે કહ્યું હતું કે, તે મેચ માટે ચોક્કસ XI પસંદ કરશે જે તેને લાગે છે કે તે સંજોગોને અનુરૂપ હશે. તેનો અર્થ એ છે કે, અનુભવી લેગ-સ્પિનર યુઝવેન્દ્ર ચહલને એડિલેડ ઓવલ ખાતે પ્રથમ વખત ટૂર્નામેન્ટમાં રમવાની તક મળે તેવી શક્યતા છે. આ પીચ ધીમી બોલિંગને અનુકૂળ છે.
અનુભવી વિકેટ કીપર બેટ્સમેન દિનેશ કાર્તિક પણ ઝિમ્બાબ્વે સામે રમનાર ઋષભ પંતની જગ્યાએ વાપસી કરી શકે છે. એડિલેડ જતા પહેલા અને ઝિમ્બાબ્વે સામેની મેચ બાદ રાહુલ દ્રવિડે કહ્યું, “મને લાગે છે કે અમારું મન 15 માં દરેક વ્યક્તિ વિશે સંપૂર્ણપણે ખુલ્લું છે. અમે માનીએ છીએ કે 15માં જે પણ હશે તે સંભવિતપણે અમને નબળા નહીં બનાવે, અમે જે પ્રકારની ટીમ પસંદ કરી છે.”
તેમણે વધુમાં કહ્યું, “હું ફરીથી કહું છું કે આપણે ત્યાં જઈને જોવું પડશે. મેં આજે (એડીલેડમાં) થોડી મેચો જોઈ અને મને ખબર છે કે ટ્રેક ધીમા હતા અને તેમાં પકડ અને થોડો ટર્ન મળશે. અમે એડિલેડ સંપૂર્ણપણે નવા છીએ. પિચ પર રમવું જોઈએ, અને સાચું કહું તો, બાંગ્લાદેશ સામે અમે જે પીચ રમી હતી, બોલ સ્પિન થાય છે. તે એક અલગ વિકેટ હતી અને તે એડિલેડમાં પણ રમાઈ હતી.”